Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ સહીત બે આતંકવાદીઓને ઠાર કરાયા

સેના, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન કર્યું

નવી દિલ્હી : સુરક્ષા દળોએ, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ અને અન્ય એક સ્થાનિક આતંકવાદીને, રામબાગ વિસ્તારમાં મીર મહોલ્લા બરજુલા ખાતે, એક અથડામણ દરમિયાન ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ બંને આતંકીઓની લાશ કબજે કરી છે. આ સાથે ઘટના સ્થળેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

સોમવારે શ્રીનગરના રામબાગ વિસ્તારના, મીર મહોલ્લા બરજુલા માં સુરક્ષાદળોને, આતંકવાદીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ આધારે સેના, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ બાહ્ય કાર્યવાહી પણ કરી હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા.

આઈજી કાશ્મીર, વિજય કુમારે બંને આતંકવાદીઓની હત્યાની પુષ્ટિ કરતાં કહ્યું કે,' પોલીસ આ હત્યા કરાયેલા આતંકવાદીઓ ની શોધ કરી રહી હતી. હવે તેઓ ઢેર થઇ ગયા છે. આ સાથે એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.'

(1:48 pm IST)