Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોર્ટમાં પહોંચ્યો શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મામલોઃ મથુરા કોર્ટમાં દાખલ થયો કેસઃ આજે બપોર બાદ સુનાવણીની સંભાવના

નવી દિલ્હીઃ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના મામલામાં સિવિલ જજ સિનીયર ડિવીઝનની કોર્ટમાં દાખલ અરજી ફગાવાયા બાદ હવે શ્રીકૃષ્ણ વિરાજમાને આજે જિલ્લા જજની અદાલતમાં પોતાનો કેસ દાખલ કર્યો છેઃ આ મામલાની બપોર બાદ સુનાવણીની સંભાવના છેઃ દાખલ કેસમાં જણાવાયું છે કે જે જગ્યા પર શાહી મસ્જિદ ઉભી છે ત્યાં પહેલા કારાગાર હતો જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતોઃ અત્રે એ નોંધનીય છે કે ૨૫ સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ વિરાજમાન તથા સાત અન્યોએ એક અરજી દાખલ કરી જન્મસ્થાનની ૧૩.૭ એકર જમીનની માલિકીની માંગણી કરતા શાહી ઇદગાહ મસ્જિદને ગેરકાનૂની ગણાવી તેને હટાવવાની માંગણી કરી હતી

(3:59 pm IST)