Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મહારાષ્ટ્રનાં જલગાંવમાં હેલિકોપ્ટર ક્રેશ :એક ઈંસ્ટ્રક્ટરનું મૃત્યું : એક ટ્રેની ગંભીર

નાગરીક વિમાનન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિંયાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રનાં જલગાંવમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયેલ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનીક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમા લાગી ગયા હતા.

NMIMS એકેડેમી ઓફ એવિએશનનું ટ્રેનિંગ એરક્રાફ્ટ હતું જેમાં તાલીમ આપતા એક ઈંસ્ટ્રક્ટરનું મૃત્યું થયું અને ટ્રેની ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગરીક વિમાનન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિંયાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે એક ટીમની રચના કરવાની વાત પણ કરી હતી.

દુર્ઘટના સતપુરાના પહાડી વિસ્તારમાં આવેલા વર્દી ગામમાં બની હતી અને સાંજે 5:15 વાગ્યે અધિકારીઓને ઘટનાની જાણકારી મળતાં જ બચાવ ટીમ રવાના થઈ હતી.

(12:00 am IST)