Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

એલઆઇસીમાંથી ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી,તા. ૧૭ : સરકારે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)માંથી ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આઇપીઓ અંગે મદદ તથા સલાહ આપવા માટે મર્ચન્ટ બેંકરો તથા વિધિ સલાહકારો પાસેથી બીડ આમંત્રિત કરવામાં આવ્યા છે.

રોકાણ અને લોકસંપતિ પ્રબંધન વિભાગ (દીપમ) સરકારી હિસ્સેદારીના વેચાણમાં મદદ અને સલાહ માટે ૧૦ જેટલા મર્ચન્ટ બેંકરો અને એક વિધી કંપનીની નિમણુક કરશે. દીપમની નોટીસ અનુસાર બીડ જમા કરવાની અંતિમ તારીખ છ ઓગસ્ટ નક્કી કરાઇ છે.

(12:57 pm IST)