Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પંજાબ કોંગ્રેસના અધ્‍યક્ષ બનવાને લઇને લુધિયાણામાં નવજોતસિંહ સિદ્ધુના ઘરમાં જશ્નનો માહોલઃ મિઠાઇઓનું વિતરણ

જો કે હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ સમર્થકોમાં ઉત્‍સાહ

નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસમા અધ્યક્ષ બનાવવાને લઈને પાર્ટી પત્તા ખોલી રહી નથી. તેનાથી પહેલા જ લુધિયાણામાં સ્થિત નવજોત સિંહ સિદ્ધૂના ઘર પર જશ્નનો માહોલ છે. સિદ્ધૂના સમર્થક મિઠાઇઓ વહેંચી રહ્યાં છે અને જશ્ન મનાવી રહ્યાં છે. જોકે, હજું સુધી સિદ્ધૂને લઈને કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી નથી.

આ વચ્ચે સિદ્ધૂને શુભેચ્છાઓ આપતા પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની તસવીર ગાયબ છે. ચંદીગઢમાં કોંગ્રેસ ઓફિસ બહાર પણ સિદ્ધૂના સમર્થક જશ્ન મનાવવા માટે પહોંચી ગયા, જ્યાં ઢોલ-નગાડાઓ સાથે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

પંજાબ, યૂપી સહિત અનેક રાજ્યોમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી થવાની છે. યૂપીમાં જ્યાં પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે તો પંજાબમાં કોંગ્રેસની ખેંચતાણ ખત્મ થઈ રહી નથી. નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. એક વખત ફરીથી મીટિંગો પર મીટિંગો થઈ રહી છે. સમાધાનની બધી જ કોશિશો ફેલ થતી નજરે પડી રહી છે.

(5:54 pm IST)