Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

બાળકોને નેસ્‍લેનું દુધ અને સેરેલેક આપતા હો તો સાવધાન : ભેળસેળ થયાનો રિપોર્ટ

નેસ્‍લેની કાળી કરતુતથી WHO લાલઘુમ

નવી દિલ્‍હી, તા.૧૮: જો તમે પણ તમારા બાળકો માટે દૂધ અને ખોરાક માટે નેસ્‍લે ઉત્‍પાદનોનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સાવચેત રહો ! એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્‍યો છે. એવું જાણવા મળ્‍યું છે કે નેસ્‍લે ભારત, અન્‍ય એશિયન અને આફ્રિકન દેશોમાં બાળકોને આપવામાં આવતા દૂધ અને સેરેલેકમાં ભેળસેળ કરે છે, જ્‍યારે યુરોપ અને બ્રિટનના બજારોમાં તે શુદ્ધ અને ભેળસેળ વગરના સેરેલેક પ્રદાન કરે છે. નેસ્‍લેના આ કાળા કળત્‍યથી વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા ગુસ્‍સે છે. તેમણે કહ્યું છે કે આવા ઉત્‍પાદનો બાળકોને શરૂઆતથી છ મહિના અને બે વર્ષ સુધી આપવામાં આવે છે. ઉત્‍પાદનોમાં ભેળસેળ એ બાળકો માટે ખૂબ જોખમી છે. આનાથી બાળકોના સ્‍વાસ્‍થ્‍ય પર ઊંડી અસર પડી શકે છે.

નેસ્‍લે ઉત્‍પાદનોમાં ભેળસેળનો ખુલાસો સ્‍વિસ તપાસ સંસ્‍થા પબ્‍લિક આઈ અને IBFAN (ઈન્‍ટરનેશનલ બેબી ફૂડ એક્‍શન નેટવર્ક) દ્વારા કરવામાં આવ્‍યો છે. રિપોર્ટમાં સામે આવ્‍યું છે કે નેસ્‍લે બાળકોને આપવામાં આવતા દૂધમાં વધારાની ખાંડનો ઉપયોગ કરી રહી છે. આ માત્ર એશિયન અને ગરીબ આફ્રિકન અને લેટિન દેશોમાં કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં, નેસ્‍લે યુરોપ અને યુકેમાં તેના મુખ્‍ય બજારોમાં આવું કરતું નથી.

 હકીકતમાં, આ વાતનો ખુલાસો ત્‍યારે થયો જ્‍યારે તપાસ ટીમે નેસ્‍લેના દૂધ પાવડર અને સેરેલેકને ભારત, અન્‍ય એશિયાઈ દેશો, આફ્રિકા અને લેટિન અમેરિકામાં બેલ્‍જિયમની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્‍યા. નેસ્‍લે ભારતમાં વિશાળ બિઝનેસ ધરાવે છે. તેનું વેચાણ ૨૦૨૨માં US$250 મિલિયનને પાર કરવાનું હતું. આવી સ્‍થિતિમાં નેસ્‍લે સંબંધિત આ અહેવાલ ખરેખર ચોંકાવનારો છે. રિપોર્ટમાં જાણવા મળ્‍યું છે કે નેસ્‍લેની તમામ સેરેલેક બેબી પ્રોડક્‍ટ્‍સમાં સરેરાશ ૩ ગ્રામ ઉમેરવામાં આવેલી ખાંડ હોય છે.

 પબ્‍લિક આઇ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી તપાસમાં જણાવ્‍યું હતું કે નેસ્‍લે દ્વારા છ મહિનાના બાળકોને ખવડાવવા માટે વેચવામાં આવતા સેરેલેકમાં ઉમેરાયેલ ખાંડ નથી, જ્‍યારે તે જ ઉત્‍પાદન અન્‍ય દેશોમાં વેચવામાં આવે છે, દરેક ઉત્‍પાદનમાં ૬ ગ્રામથી વધુ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ચોંકાવનારા અહેવાલ પર, WHOના વૈજ્ઞાનિક નિગેલ રોલિન્‍સ કહે છે કે અહીં બેવડું ધોરણ છે જેને ન્‍યાયી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું કે સત્‍ય એ છે કે નેસ્‍લે સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં આ ઉત્‍પાદનોમાં ઉમેરેલી ખાંડનો ઉપયોગ કરતું નથી, જ્‍યારે કેટલાક દેશોમાં તે આવું કરી રહ્યું છે. WHOએ આ મામલામાં ચેતવણી આપી છે કે જીવનની શરૂઆતમાં કોઈપણ બાળકને ખાંડ આપવાથી સ્‍થૂળતા અને અન્‍ય રોગોનું જોખમ વધી શકે છે. WHO ની ચિંતા વાજબી છે કારણ કે ૨૦૨૨ માં, WHO  એ શિશુઓ માટે માર્કેટેબલ ફૂડ પ્રોડક્‍ટ્‍સમાં ઉમેરવામાં આવેલી ખાંડ અને મીઠાઈઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી

(10:42 am IST)