Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રૂપાલાજીએ દિલથી માફી માંગી લીધી છે, હવે કોઇ નારાજગી નથીઃ ગૃહમંત્રી શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી શાહે આજે અમદાવાદમાં ૧૪ કિ.મી. લાંબો ભવ્યાતિભવ્ય રોડ-શો યોજી શકિત પ્રદર્શન કર્યુ હતુઃ જે દરમિયાન કાર્યકરો અને લોકોની ભારે ભીડ એકઠ્ઠી થઇ હતીઃ તેમણે સૌનું અભિવાદન ઝીલ્યુ હતુઃ આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં પરસોત્તમ રૂપાલા વિવાદમાં તેઓ પહેલી વાર બોલ્યા હતાઃ ગૃહમંત્રીએ કહ્યુ હતુ કે રૂપાલાજીએ દિલથી માફી માંગી છે, હવે કોઇ નારાજગી નથીઃ તેમના આ નિવેદન બાદ રાજકોટની બેઠક ઉપરથી રૂપાલા બદલાશે એ બાબતની અફવા જમીનમાં દફન થઇ ગઇ છેઃ એવુ સ્પષ્ટ જણાય છે કે, રૂપાલા જ રાજકોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રહેશેઃ અત્રે એ નોંધનીય છે કે, અમુક મીડિયા અહેવાલોમાં એવુ જણાવાયુ હતું કે, રૂપાલાએ પક્ષના હીતમાં ફેરવિચારણા કરવા હાઇકમાન્ડને વિનંતી કરી છેઃ જો કે, હવે ગૃહમંત્રીના નિવેદન બાદ પાકુ થઇ ગયુ છે કે, રૂપાલા જ ઉમેદવાર રહેશે અને બાકીના લોકો ઉમેદવારી પાછી ખેંચશે

(3:06 pm IST)