Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભાજપ-કોંગ્રેસના ર૪ સ્‍ટાર પ્રચારકો પ્રથમ તબકકાથી અળગા રહ્યાઃ રાજસ્‍થાનમાં પ્રચારમાં સામેલ ન થયા

જયપુર તા. ૧૮: રાજસ્‍થાનમાં ૧ર બેઠકો પર પ્રથમ તબકકાનો પ્રચાર ગઇકાલે પૂર્ણ થયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પુરી તાકાત લગાડાઇ હતી. પણ બન્‍ને પક્ષોના અન્‍ય રાજયોના સ્‍ટાર પ્રચારકો પ્રચારમાં જોડાયા ન હતા.

ભાજપના નિતીન ગડકરી, ભુપેન્‍દ્રભાઇ પટેલ, મોહન યાદવ, દેવેન્‍દ્ર ફડણવીસ, કેશવ પ્રસાદ મૌર્ય, સંજીવ બાલીયાના કૃષ્‍ણપાલસિંહ ગુર્જર, મનોજ તિવારી, પરસોતમ રૂપાલા તથા એકનાથ શિંદે રાજસ્‍થાનમાં પ્રચારથી અળગા રહ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસના રજની પાટીલ, ભુપેન્‍દ્રસિંહ હુડ્ડા, મુકુલ વાસનીક, સુખવીંદર સુખ્‍ખુ, સુરજેવાલા, પ્રમોદ તિવારી, ચરણજીતસિંહ ચન્‍ની, આલોક વર્મા, ઇમરાન પ્રતાપગઢી, કન્‍હૈયા કુમાર પવન ખેડા, અલકા લાંબા, બીવી શ્રીનિવાસ અને વરૂણ ચૌધરી પ્રચારમાં જોડાયા ન હતા.

(3:43 pm IST)