Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિલ્હીમાં ૬૬૩ આઇસીયુ બેડ વધારવાની તૈયારી કરતા કેજરીવાલઃ જરૂર પડયે ૧-ર બજારો બંધ કરાશે

નવી દિલ્હી : કોરોના સંક્રમણના વધતા મામલાને જોતા રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર ૬૬૩ આઇસીયુ બેડ વધારવાની કવાયત આદરી છે જે ર થી ૩ દિવસમાં જ પૂર્ણ કરાશે. પૂર્વી દિલ્હીના સૌથી મોટી જીટીબીમાં ર૩ર બેડ વધારાશે. કેન્દ્ર સરકાર દ્વારા ૭પ૦ આઇસીયુ બેડની મંજુરી મળતા કમી પૂરી કરાશે. કેજરીવાલે જીટીબી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવેલ કે જરૂર પડશે તો ૧-ર બજારો થોડા દિવસો બંધ કરાશે. હાલ તેની જરૂર ન હોવાનું પણ જણાવેલ. તહેવાર દરમિયાન લોકોએ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા કેસો વધ્યા છે

(4:06 pm IST)