Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

બસપા સુપ્રીમો માયાવતીના પિતા પ્રભુદયાલનું 95 વર્ષની વયે નિધન

નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : કાલે દિલ્હીની ઈંદ્રપુરી સ્થિત શ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. માયાવતીના પિતા પ્રભુદયાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 95 વર્ષના હતા. તેઓ પોતાના પરિવાર સાથે દિલ્હીના રકાબગંજ વિસ્તારમાં રહેતા હતા.

માયાવતીના પિતાની ઉંમર 95 વર્ષની હતી. પ્રભૂદયાલનું ગુરૂવારે નિધન થયુ છે. તેમણે નોઈડાની એક મેટ્રો હોસ્પિટલમાં ગુરૂવારે સાંજ ચાર કલાક અંતિમ શ્વાસ લીધા હતા. આ અગાઉ તેઓ નોઈડાની ઈંડો ગોલ્ડ હોસ્પિટલમાં ભરતી હતા. જ્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

તેમની તબિયત ખરાબ થતાં તેમને મેટ્રો હોસ્પિટલમાં બુધવારે ભરતી કરાવ્યા હતા. ત્યારે આજે અચાનક તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમનું નિધન થયુ છે. નિધન બાદ તેમના દેહને દિલ્હી સ્થિત નિવાસ સ્થાને દર્શન માટે રાખવામાં આવ્યો છે. શુક્રવારે દિલ્હીની ઈંદ્રપુરી સ્થિત શ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(9:38 pm IST)