Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ગુરુગ્રામમાં મોટી દુર્ઘટના! સ્મશાનની દિવાલ ધરાશાયી થતા એક બાળકી સહિત 4 લોકોના : અન્ય બે ઘાયલ

મદનપુરી સ્મશાન ભૂમિમાં દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ

હરિયાણાના ગુરુગ્રામમાં દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દિવાલ નીચે બે બાળકો સહિત છ લોકો દટાયા હતા. દટાયેલા લોકોને બચાવવા માટે ઉતાવળમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિવાલ નીચે દટાઈ જવાથી બાળકી સહિત ચાર લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

  મળતી માહિતી મુજબ ગુરુગ્રામના મદનપુરી સ્થિત સ્મશાન ભૂમિની પાછળના ગેટની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો ત્યાં હાજર હતા. કોઈ સમજે તે પહેલા ત્યાં હાજર કેટલાક વૃદ્ધો અને બે છોકરીઓ દિવાલ નીચે દટાઈ ગયા. દુર્ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.

 

ગુરુગ્રામના મદનપુરી સ્મશાન ભૂમિમાં દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં બે બાળકીઓ સહિત કુલ 6 લોકો દિવાલ નીચે દટાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એક બાળકી સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય બે ઘાયલોની સારવાર ચાલી રહી છે

(9:38 pm IST)