Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

એ મને મારી નાખશે... સુશાંતે મોતના થોડા દિવસ પહેલા મેસેજ મોકલ્યો હોવાનો દાવો

સુશાંત આત્મહત્યા કેસની તપાસમાં લેગએલી ત્રણ મુખ્ય નેશનલ એજન્સીઓ : સુશાંતએ તેના પરિવારને મોતના પાંચ દિવસ પહેલા મોકલ્યો હતો SOSના સંદેશો : એક મીડિયા હાઉસે તેના આ મેસેજની પુષ્ટિ થઈ હોવાનો દાવો કર્યો છે

મુંબઇ,તા.૨૨: સુશાંત સિંહ રાજપૂતે તેની બહેન મીતુ સિંહ ને એક SOS સંદેશ મોકલ્યો હતો, લખ્યું હતું- મને ડર લાગે છે, મારી નાખશે.' આ પછી, રિયા ચક્રવર્તીએ બ્રેક-અપ કર્યા પછી તેનું બાંદ્રા એપાર્ટમેન્ટ છોડી દીધું હતું!

૧૪ જૂનના રોજ સુશાંત સિંહ રાજપુત ના મૃત્યુના સંજોગોને ધ્યાનમાં રાખીને, ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. સુશાંત આત્મહત્યા કેસ હલ કરવા માટે અને તેના મૃત્યુનું કારણ શોધવામાં ઘણી એજન્સીઓ સામેલ છે. હાલમાં તાજેતરમાં ટાઇમ્સ નાઉએ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત દ્વારા આત્મહત્યા કર્યાના પાંચ દિવસ પહેલા તેના પરિવારને મોકલેલા SOS મેસેજની તપાસ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતે તેની બહેન મીતુ સિંહ ને એક SOS સંદેશ મોકલ્યો. આમાં બોલિવૂડ સ્ટારે તેની સલામતી અને મૃત્યુ અંગે સ્પષ્ટ ચિંતા વ્યકત કરી હતી.

સુશાંત સિંહ રાજપુત એ  ૯ જૂને SOS  મોકલ્યો હતો. તેની બહેન મીતુ સિંહને મોકલેલા SOS માં સુશાંતે લખ્યું છે - 'હું ભયભીત છું, મને મારી નાખશે.' આ પછી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી બ્રેક-અપ થયા બાદ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાંથી નીકળી ગઈ. આ સંદેશ સુશાંત દ્વારા તેના એકસ મેનેજર, દિશા સલિયન ના મૃત્યુ પછી મોકલવામાં આવ્યો હતો. સુશાંતની જેમ દિશાની આત્મહત્યાને પણ હત્યાના કેસ તરીકે વર્ણવવામાં આવી રહી છે.

SOS  સંદેશમાં સુશાંત સિંહ રાજપુત એ વધુમાં જણાવ્યું છે કે તેઓ રિયા ચક્રવર્તી સાથે સંપર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે તેના કોલનો જવાબ આપી રહી ન હતી. સુશાંતે તેની બહેનને કહ્યું હતું કે'આ ખૂબ જ અર્જન્ટ છે કે હું તેની સાથે વાત કરું, કારણ કે મને ડર છે કે તે લોકો મને કોઈ વસ્તુમાં ફસાવી દેશે.

(11:45 am IST)