Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અર્નબની હત્યા કરવાનું કાવત્રું: આપઘાતમાં ખપાવી દેવાશે

સલમાન ઉપર પ્રહારો કર્યાના બીજા જ દિવસે મહારાષ્ટ્રના પ્રધાન સામે રીપબ્લીક ટીવી દ્વારા ગંભીર આરોપઃ મારા વિરૂધ્ધ ષડયંત્રઃ અર્નબ ગોસ્વામી

મુંબઇઃ  ટીઆરપી કૌભાંડમાં અટવાયેલા  રિપબ્લિક ટીવીના સંસ્થાપક અર્નબ ગોસ્વામી મામલે રિપબ્લિક ટીવીએ મહારાષ્ટ્રના મંત્રી સામે એક હચમચાવી મૂકે તેવો આક્ષેપ કર્યો છે. તેેમાં દાવો કરાયો છે કે, વિવાદિત ટીવી એન્કરને મારી નાખી તેના મોતને આપઘાત જાહેર કરવાનું કાવતરૃં ઘડવામાં આવી રહ્યું છે.

રિપબ્લિક ટીવીના દાવા અનુસાર તેના એક અંડર કવર રિપોર્ટરે ગુપ્ત રીતે રેકોર્ડ કરેલા એનસીપી નેતા  અને મહારાષ્ટ્રના સરકારના મંત્રી નવાબ મલિકના વીડિયોથી ખુલાસો કર્યો છે. ચેનલે દાવો કર્યો છે કે, નવાબ મલિકે સ્વીકાર્યું  છે કે,તેઓ ગોસ્વામી વિરૂદ્ધ કાવતરૃં ઘડી રહ્યા છે.

રીપબ્લીક ટીવીએ એવો પણ દાવો કર્યો છે કે, અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ નવાબ મલિક એક કાવતરૃં ઘડી રહ્યા છે અને તેમને મારી નાખીને તેને આપઘાત જેવી ઘટના બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,  બિગબોસ હોસ્ટ સલમાનખાન વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણીઓ કરનારા ગોસ્વામીએ એક દિવસ પછી વધુ એક આ રીતે સનસનાટી મચાવતો દાવો કર્યો છે. પોતાના ન્યૂઝ ચેનલ પર ફરી એકવાર નાટકીય રીતે પ્રસ્તૃત થયેલા  ગોસ્વામીએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાકવા પ્રયાસ કર્યા હતા.

તેણે કહ્યું કે, હું છેલ્લે૮ ઓગસ્ટથી જ કહતો આવ્યો છું કે, આ એક ખોટો કેસ છે અને મારા વિરૂદ્ધ કાવતરૃં ઘડવામાં આવી રહ્યું છે. મારી વિરૂદ્ધ એક રાજકીય ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. હું આપઘાત કરી લઉં તે માટે મને ફસાવવામાં આવી રહ્યો છે. 

(11:22 am IST)