Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બિહાર કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમ કંપાઉન્ડની અંદરથી કોઈપણ રોકડ નથી મળી: કોંગ્રેસની સ્પષ્ટતા

કંપાઉન્ડ બહાર એક વાહન માંથી રોકડ મળ્યા બાદ નોટિસ આપી હતી

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના માત્ર એક સપ્તાહ પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. પટના ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમ ખાતે આયકર વિભાગના દરોડા પડયા છે જેમાં 8 લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.

બિહાર કોંગ્રેસ કાર્યાલય ખાતે આયકર વિભાગના દરોડામાં મળી આવેલ લાખોની રોકડને લઈને કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહેલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેમણે કંપાઉન્ડ બહાર એક વાહન માંથી રોકડ મળ્યા બાદ નોટિસ આપી હતી. કંપાઉન્ડની અંદરથી કોઈ રોકડ નથી મળી. અમે સહકાર આપી શું

ભાજપ સામે આક્ષેપ કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે રક્સૌલથી ભાજપના ઉમેદવાર પાસેથી 22 કિલો સોનુ, 2.5 કિલો ચાંદી મળી આવ્યા છે તેઓ ત્યાં કેમ નથી જતા?

(8:53 pm IST)