Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

હવે નહીં રહે વેઇટિંગની ઝંઝટ : રેલવે મંત્રીએ કહ્યું- તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે

હવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું - આગામી પાંચ વર્ષમાં દરેકને કન્ફર્મ ટિકિટ મળવા લાગશે

નવી દિલ્હી ; ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ અંગે વારંવાર ફરિયાદ કરે છે. ઘણી વખત એવું બને છે કે લાંબા સમય પહેલા બુકિંગ કરાવ્યા પછી પણ તેમની ટિકિટ વેઈટિંગ જ રહે છે. હવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં દરેકને કન્ફર્મ ટિકિટ મળવા લાગશે 

   IT મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં લગભગ તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવા લાગશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિને કન્ફર્મ ટિકિટ મળવી જોઈએ.

(12:43 am IST)