Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020
વાંકાનેરના પ્રેસ રિપોર્ટર મુકેશભાઇ પંડયાના માતુશ્રીનું કાલે બેસણું

વાંકાનેર : મુળ હળવદના વતની અને હાલ વાંકાનેર સ્થિત સ્વ. નરોતમરાય લક્ષ્મીશંકર પંડયના ધર્મપત્ની ચંદ્રિકાબેન નરોતમરાય પંડયા (ઉ.વ.૮ર) તે પ્રવિણભાઇ પંડયા, દિલીપભાઇ પંડયા, તથા મુકેશભાઇ પંડયા (પ્રેસ રિપોર્ટર) ના માતુશ્રીનું તા. ૧પ ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટીયા સોસાયટી વાંકાનેર રાખેલ છે.

કરવેરા સલાહકાર ઇશ્વરભાઇ ખખ્ખરનું સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ. લક્ષ્મીદાસ અમરશી ખખ્ખરના પુત્ર જાણીતા કરવેરા સલાહકાર શ્રી ઇશ્વરભાઇ તે ધવલભાઇ તેમજ તેજલ તેજસકુમાર કાનાબાર (જામનગર) ના પિતાશ્રી તથા સ્વ. શશીકાન્તભાઇના નાનાભાઇ અને કૃણાલભાઇના કાકા તેમજ જેન્તીલાલ નાગજીભાઇ સાતા (બેરલવાળા)ના જમાઇ તા.૧૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. ધવલભાઇ ૯૮૭૯૩ ૩૦૨૯૪, કૃણાલભાઇ૯૮૭૯૬ ૪૫૩૩૩, હર્ષદભાઇ ૯૮૨૫૩૫૧૪૩૧

અવસાન નોંધ

ભાડેરના લાભુબેન વ્યાસનું ૧૦ર વર્ષની વયે અવસાન

ઉપલેટા :.. હાલ ઉપલેટા મુ. ભાડેર (ધારી) નિવાસી સ્વ. નાથાલાલ ગંગારામભાઇ વ્યાસના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૧૦ર) તે સ્વ. રજનીકાંતભાઇ નરભેરામ રાવલ તથા ગુણવંતરાય ડાયાલાલ જોશી (ધોરાજી) ના સાસુ તથા શરદભાઇ, કિરીટભાઇ, કૌશિકભાઇ (એડવોકેટ) તથા ભરતભાઇના નાનીમા તા. ૧પ ગુરૂવારે અવસાન પામ્યા છે. ટેલીફોનિક બેસણુ મો. ૯૪ર૬૬ ૭૩૩પ૪ અને ૯૮૭૯૪ રરર૪૭ ઉપર રાખેલ છે.

દીપકભાઇ જોષી

મોરબીઃ દીપકભાઇ મનુપ્રસાદ જોષી (માજી કાઉન્સીલર) તે ડેનીશભાઇ જોશી, પરેશભાઇ જોષી અને  મેહુલભાઇ જોષીના પિતા અને ભરતભાઇના મોટાભાઇનું તા.૧પના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે વરિયા મંદિર, સો ઓરડી ખાતે રાખેલ છે.

દિલાવરસિંહ જાડેજા

મોરબીઃ મુ. ખાનપર હાલ મોરબી નિવાસી દિલાવરસિંહ હરિસિંહ જાડેજા (ઉ.વ.૮૪) તે જયેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ તથા દિગ્વિજયસિંહના પિતાશ્રીનું તા.૧૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૬ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જામભા જાડેજા

મોરબીઃ મુળ તારાણા હાલ મોરબી નિવાસી જાડેજા જામભા ચંદુભા તે જાડેજા ગુમાનસિંહ દેવુભા તથા જાડેજા અરવિંદસિંહ ચંદુભાના ભાઇ તથા મયુરસિંહના પિતાશ્રીનું તા.૧૪ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉતરક્રિયા (લૌકિક ક્રિયા) તા.રર, ગુરૂવારે રાજપૂત સમાજની વાડી, તારાણા રાખેલ છે.

ચંદ્રીકાબેન પંડયા

વાંકાનેરઃ મુળ હળવદના વતની હાલ વાંકાનેર સ્વ.નરોતમરાય લક્ષ્મીશંકર પંડયાના પત્ની ચંદ્રીકાબેન નરોતમરાય પંડયા (ઉ.વ.૮ર) તે પ્રવિણભાઇ, દિલીપભાઇ અને મુકેશભાઇ પંડયાના માતુશ્રીનું તા.૧પના અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ શનિવારે સાંજે ૪ થી ૬ ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા સોસાયટી વાંકાનેર રાખેલ છે.

જશવંતરાય પરમાર

ગોંડલઃ રમણીકલાલ હરીદાસ પરમારના પુત્ર જશવંતરાય રમણીકલાલ પરમાર (ઉ.વ.૬ર) તા.૧પના રોજ ઠાકોરજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૭૯૮૪૯ ર૬ર૩૦

પ્રભાબેન ધામેચા

સરધારઃ મચ્છુ કઠીયા સઇ સુથાર સ્વ.પ્રભાબેન દેવજીભાઇ ધામેચા (ઉ.વ.૭પ) તે દેવજીભાઇ જીવાભાઇ ધામેચાના ધર્મપત્ની તે વિપુલભાઇતથા અશોકભાઇના માતુશ્રી તથા ચિરાગ, આકાશ, હેમાંશુના દાદીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સરધાર  સાંજે ૪ થી૬ રાખેલ છે.

ગોપાલભાઇ મકવાણા

મોટી કુકાવાવ : ગોપાલભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉમર વર્ષ ૬૮) તે પંકજભાઇ, તુષારભાઇ, જયભાઇ, સ્વાતિબેન બળવંતભાઇ ડાભી (ભાવનગર) ઋતુબેન, ભૌતિકભાઇ મારડિયા (રાજકોટ)ના પિતાશ્રી તેજમ આરવ અને દર્શના દાદાનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું બાલનાથ મહાદેવ મોટીકુકાવાવ તા. ૧૭ ના રોજ સાંજના ૩ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.

મુકુન્દરાય આડેેસરા

રાજકોટઃ નિવાસી સોની કુંવરજી મકનજી આડેસરા પરિવારનાં મુકુંદરાય હકમીચંદભાઇ (કૃષ્ણ જવેલર્સ) (ઉ.વ. ૭૪) તે શ્રી કમલેશભાઇ, જીતેશભાઇના પિતાશ્રી, વૃૂજલાલભાઇ, સ્વ. કાંતિભાઇ, મનસુખભાઇ, તથા તારાબેન વૃજલાલભાઇ ફીચડીયા, નીરૂબેન ગોવિંદદાસ વાગડીયાના ભાઇ સોની કુંવરજીભાઇ મોતીચંદભાઇ પારેખના જમાઇ, તા. ૧૫  ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૬ ને શુક્રવાર, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કમલેશભાઇ - મો. ૯૮રપ૦ ર૭ર૬ર, જીતેશભાઇ - મો. ૯૯રપ૦ ર૭ર૬૯, નિલેશભાઇ - મો. ૮૯૮૦૪ ૮૯૮૦૫, પ્રવિણભાઇ - મો. ૯૯ર૪૦ ૩૫૦૭૦

હરીશભાઇ ગજજર

રાજકોટઃ ગુર્જર સુતાર મુળ ગામ નારીવાળા, હાલ રાજકોટ નિવાસી હરીશભાઇ નાનજીભાઇ ગજજર (અઘેડા) (ઉ.વ.૫૮) (બેરીંગવાળા) તે સ્વ. નાનજીભાઇ જી. મીસ્ત્રી (વાયોલીનવાદક)ના નાના પુત્ર, કમલેશભાઇ નાનજીભાઇ ગજજર (અપનાબજાર) ના નાનાભાઇ અંકિતભાઇ હરીશભાઇ ગજજર તથા ભૂમિકાબેનના પિતાશ્રી તુષારભાઇ તથા જીમીલભાઇના કાકા તેમજ સ્વ.કાળુભાઇ મીસ્ત્રી (ભાવનગર વાળા)ના જમાઇનું તા.૧૫ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવાર સાંજે ૪ થી ૬ કમલેશભાઇ નાનજીભાઇ ગજજર ૯૯૨૫૪ ૩૨૭૬૧, અંકિતભાઇ હરીશભાઇ ગજજર ૯૬૬૪૯ ૭૮૪૯૧, તુષારભાઇ કમલેશભાઇ ગજજર ૯૬૮૭૬  ૯૩૪૮૨,  જીમીલભાઇ કમલેશભાઇ ગજજર ૭૦૧૬૮ ૫૮૮૦૭

મનસુખભાઇ રાઠોડ

રાજકોટઃ શ્રી મચ્છુકઠીયા સઇ સુતાર જ્ઞાતિ ગોપાલ બ્રધર્સવાળા મનસુખભાઇ અરજણભાઇ રાઠોડ (ઉ.વ.૮૦ વર્ર્ષ)તે સ્વ. ગોપાલભાઇ તથા સ્વ. ધીરૂભાઇના ભાઇ અને જયેશભાઇ, કૌશીકભાઇ, ભાવેશભાઇ, કલ્પેશભાઇના પિતાજી અને ધ્રુવીશ, રીશીત કિશાના દાદા તથા નેકનામ નિવાસી સ્વ. ગોરધનભાઇ ગોવિંદજીભાઇ સોલંકીના જમાઇનું તા.૧૫ને ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે  ૪ થી ૬ (ં૯૦૩૩૯ ૧૫૯૫૧, ૮૮૬૬૧ ૭૬૨૬૩) ઉપર રાખેલ છે.

બટુકભાઇ સાતા

રાજકોટ : સ્વ. બટુકભાઇ પ્રાગજીભાઇ સાતા તે અજયભાઇ , દિપકભાઇ, ઇલાબેન અને અંજુબેનના પિતા તેમજ સ્વ. શશીકાંતભાઇ, વિનોદરાય, અરવિંદભાઇ અને અશોકભાઇ ના ભાઇ અને સ્વ.મણીલાલ કુરજીભાઇ કારીયા ના જમાઇ અને કિશોરભાઇ મણીલાલ કારીયા , સ્વ. શાંતિલાલ મણીલાલ કારીયા ના બનેવી તથા રાજેશકુમાર જમનાદાસ કટારીયા, ભરતકુમાર દામજીભાઇ સાંગાણી ના સસરાનું તા.૧૫  ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૧૭ને શનિવારે, સાંજે ૫ થી ૬-૩૦ કલાકે રાખેલ છે. શ્રીનાથજી કોમ્પ., શિવાનંદ આંખની હોસ્પિટલની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.  ટેલીફોનીક બેસણું (વ્યાપારિક/મિત્ર વર્તુળ માટે)  તા. ૧૭ ને શનિવારે, સવારે ૧૦  થી ૧ર  કલાકે રાખેલ છે. અજયભાઇ-૯૯૦૯૮ ૪૪૪૬૪, દિપકભાઇ-૯૮ર૪ર ૧૭૭૫૦ , નિકુંજભાઇ- ૯૬૩૮ર ર૧૧૭પ

કેતનભાઇ જાજલ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય આટકોટ નિવાસી મણીલાલ ગોકળદાસ જાજલના પુત્ર તે કેેતનભાઇ મણીલાલ જાજલના તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જે કમલેશભાઇ તથા કલ્પેશભાઇના ભાઇ તેમનું બેસણું તા.૧૭ને શનિવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન આટકોટ ખાતે રાખેલ છે.

ભાનુમતીબેન શિંગાળા

રાજકોટઃ નિવૃત શિક્ષિકા ગં.સ્વ. ભાનુમતીબેન શાંતિલાલ શિંગાળા (ઉ.વ.૯૦) તે મુકેશભાઇ, દિપકભાઇ, કપિલાબેન સુર્યકાંત કોટક, અનીશાબેન હિતેશભાઇ માણેક, અવનીબેન કિશોરભાઇ સોઢાના માાતુશ્રી તે સ્વ.મુકુંદભાઇ ધ્રુણાના બહેન તે વિવેક દિપકભાઇ શિંગાળાના દાદીમાંનુ ગુરૂવાર તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૭ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખ્યું છે. ઉઠમણા માટે ફોન. નં. મુકેશભાઇ ૯૪૨૮૩ ૭૩૭૬૮ / ૭૮૨૦૦ ૪૫૬૨૦, દિપકભાઇ ૯૮૨૪૫ ૧૪૩૩૨

પુષ્પાબેન ભીંડોરા

રાજકોટઃ ખોડા પીપર નિવાસી હાલ રાજકોટ સ્વ. લાલજીભાઇ જાદવજીભાઇ કોટકની પુત્રી પુષ્પાબેન ચંદ્રકાન્ત ભિંડોરા (ઉ.વ.૬૮) તે સ્વ. વજુભાઇ, સ્વ. નલીનભાઇ તથા છોટુભાઇના બહેન ધર્મેશભાઇ ભિંડોરા તથા જતીનભાઇ ભિંડોરાના માતુશ્રીનું તા.૧૪ના વાકાનેર ખાતે અવસાન થયેલ છે.  ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી બંને સાથે શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઇ ભિંડોરા ૯૮૨૫૨ ૧૬૨૩૭, જતીનભાઇ ભીંડોરા ૯૮૨૫૨૦૧૯૮૪૯, છોટુભાઇ  કોટક ૯૯૯૮૮૧૫૬૬૮, મહેશભાઇ કોટક ૯૮૭૯૪ ૮૦૩૦૦ , ભાવેશભાઇ કોટક ૮૬૮૭૩ ૧૬૫૩૭

શેખરભાઇ થડેશ્વર

રાજકોટઃ ગામ અમરેેલીવાળા હાલ રાજકોટ સ્વ. અમૃતલાલ પોપટલાલ થડેશ્વરના પુત્ર શેખરભાઇ થડેશ્વર તે સંજયભાઇ તથા ભારતીબેન અશ્વિનભાઇ વાયાના નાનાભાઇ હેતલબેનના પતિ, થાય અને મીતલ, યશના પિતાશ્રી થાય રિધ્ધી તથા રાજના કાકા તથા પ્રવીણભાઇ વીનુભાઇ સતિકુવરના બનેવી તા.૧૫ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઇ ૯૯૧૩૯ ૯૮૧૭૮, યશ શેખરભાઇ ૭૮૭૮૮૪૩૦૫૩

મનસુખભાઇ કવા

રાજકોટઃ મૂળ વિસાવદર હાલ રાજકોટ ના સોરઠીયા લુહાર મનસુખભાઈ ખોડાભાઈ કવા (ઉ.વ. ૭૨) તે સ્વ ગોકળભાઈ, સ્વ. કેશુભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ તથા કાંતિભાઈના નાનાભાઈ તથા સ્વ. લાભુબેન, સ્વ. શારદાબેન, સ્વ. લીલીબેનના ભાઈ તથા નેનેશભાઈ (પૂર્ણિમા ફર્નીચર) ના પિતા તથા જૈનિશ ના દાદાનું દુઃખદ અવસાન તા.૧૫ ને ગુરૂવારના રોજ થયેલ છે. સદતનું ટેલીફોનિક બેસણું તા. ૧૭ને શનીવારના રોજ સાંજે (૯૮૯૮૫ ૫૮૫૯૧) રાખેલ છે

હસમુખરાય પુજારા

રાજકોટઃ સ્વ. હસમુખરાય ભવાનભાઇ પુજારા (જોડીયા) જે પ્રફુલભાઇ તથા પ્રદિપભાઇ ના ભાઇ તથા હાર્દિક, તૃપ્તિ, પ્રિતના પિતાશ્રી જેમનો સ્વર્ગવાસ તા. ૧૪ને બુધવાર ના રોજ થયેલ છે. પ્રદિપભાઇ  ૯૮૭૯૯૯૫૮૦૦, હાર્દિક ૮૨૦૦૩ ૪૩૩૨૦, પરેશ  ૮૨૩૮૦ ૬૬૭૯૬

કિરીટભાઇ દુદકીયા

 રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ. જાદવજીભાઇ મનજીભાઇ દુદકીયાના સુપુત્ર સ્વ. કિરીટભાઇ જાદવજીભાઇ દુદકીયા (ઉ.વ.૫૩) શ્રી વિશ્વકલા પેટર્ન વર્કસવાળા તે એ.પી. મશીન ટુલ્સવાળા નીતીનભાઇ તથા શિલ્પકલા પેટર્ન વર્કસવાળા ધનશ્યામભાઇના ભાઇ તથા સાવનભાઇના પિતાનું તા.૧૩, મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૬ શુક્રવાર, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

  સનતભાઇ દવે

રાજકોટઃ શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુ. વડાલ (સોરઠ) હાલ રાજકોટ નિવાસી શ્રી સનતભાઇ કાંતીભાઇ દવે(ઉ.વ.૭૮)  ડિવાઇન ટ્રેડર્સ (રાજકોટવાળા) તે શ્રી હિતેષભાઇ શ્રી વિમલભાઇ તથા યોગીતાબેનના પિતાશ્રી તેમજ સ્વ. મગનભાઇ તથા શ્રી હરીપ્રસાદભાઇના લધુબંધુ તથા મુ. કોયલી હાલ જુનાગઢ નિવાસી સ્વ. જેઠાલાલ દિવેશ્વર ભટ્ટના જમાઇ તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરીસ્થિતિની ધ્યાનમાં લઇ તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવાર સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.