Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

માધાપર ચોકડીએ ટેન્કરે એકટીવાને ઉલાળી દેતાં ઘંટેશ્વરના કોમલબેન ઘેટીયાનું મોત

બહેનપણીનો બચાવઃ રામાપીર ચોકડીએ જતી વખતે બનાવ

રાજકોટ તા. ૬ : માધાપર ચોકડી પાસે ટેન્કર નં. જીજે૨૫યુ-૮૦૦૯ના ચાલકે એકટીવાને ઉલાળતાં તેના પર બેઠેલા કોમલબેન ભરતભાઇ ઘેટીયા (ઉ.વ.૩૦-રહે. ઘંટેશ્વર, ગેસના ગોડાઉન પાસે) તથા તેના બહેનપણીને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ કોમલબેનનું મોત નિપજ્યું હતું. બહેનપણીનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇના એકના એક બહેન હતાં. કામ સબબ રામાપીર ચોકડીએ જતી વખતે અકસ્માત નડ્યો હતો.

(3:31 pm IST)