Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કડકડતી ઠંડીમાં ફુટપાથ પર સુતેલા નિરાધાર લોકોને પોલીસ દ્વારા ધાબડા ઓઢાડાયા

રાજકોટઃ. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી જોન-૨ મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન-૧ પ્રવીણકુમારની સૂચનાથી અને ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટના સહયોગ અને બી બી ગોગિયા એડવોકેટના સહયોગથી પીએસઆઈ મયુરભાઈ કોટડીયા અને પીએસઆઈ એમ.એન. બોરીસાગર અને પોલીસ હેડ કવાર્ટરની ટીમ દ્વારા સરકારી વાહન સાથે રાજકોટ શહેર વિસ્તારમાં રાત્રીના સમયે રોડ પર ફરી ફુટપાથ પર સુતેલા અને નિઃસહાય લોકો ઠંડીમાં હેરાન-પરેશાન થતા હોય તેઓના માટે ઠંડીની ઋતુ મદદરૂપ થવાના આશયથી ધાબડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ૬૦૦ જેટલા ધાબડાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યુ હતું.

(4:02 pm IST)