Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મનહરપુરમાં ટીબી અને શ્વાસની બીમારીથી કંટાળી દિવ્યા જેઠવાનો ફાંસો ખાઇ આપઘાત

'બિમારીથી કંટાળી પગલુ ભરૂ છું 'ચીઠ્ઠી લખી યુવતિએ જીવન ટુંકાવ્યું : પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૯: જામનગર રોડ પર મનહરપુર ગામમાં શિવસાગર સોસાયટીમાં રહેતી યુવતિએ બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મનહરપુર ગામમાં શિવસાગર સોસાયટીમાં રહેતી દિવ્યા ભરતભાઇ જેઠવા (ઉવ. ૧૯)એ પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. જેન્તીભાઇ સોંદરવાએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની તપાસ દરમ્યાન મૃતક દિવ્યાના પતિ ફર્નિચરનું કામ કરે છે. યુવતિ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેણે ટી.બી. અને શ્વાસની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું લખ્યું હતું.

(2:51 pm IST)