Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કાલથી સોનોબજાર અઠવાડિયું સંપૂર્ણ બંધ રહેશે

ગોલ્ડ ડીલર્સ એસો.ની પહેલને વિવિધ સંગઠનોનો ટેકો : વધતા સંક્રમણ અને મૃત્યુને કારણે સોનીબજારમાં સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણંય

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર વધ્યો છે રોજ બરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે સોનીબજારમાં કોરોના સંક્રમણને રોકવા માટે સોનીબજાર કાલથી આઠ દિવસ બંધ રાખવા નિર્ણંય લેવાયો છે

 છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વેપારીઓ અને બજારના અગ્રણીઓના કોરોનાથી મોતને કારણે સોનીબજાર સ્તબ્ધ બની છે ત્યારે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ સોનીબજારમાં સ્વૈચ્છીક લોકડાઉન રાખવા અભિપ્રાયો મંગાવ્યા હતા જેમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સની પહેલને રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો, અને વિવિધ સંગઠનો, વેપારી આગેવાનોએ હકારાત્મક પ્રતિસાદ આપતા કાલથી સોનીબજાર આઠ દિવસ બંધ રાખવા નિર્ણંય લેવાયો છે

 સોનીબજારમાં છેલ્લા કેટલી દિવસોથી કોરોના કેસમાં વધારો થઇ રહયો છે છેલ્લા દોઢેક મહિનામાં અનેક વેપારી અગ્રણીઓ અને પરિવારના મોભી ગુમાવ્યાનો શોક જોવાઈ રહ્યો છે.

(10:20 am IST)