Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વોર્ડ નં.૧માં રામેશ્વર પાર્કમાં બગીચો બનશે : ખાતમુર્હુત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૧માં આવેલ રામેશ્વર પાર્ક વિસ્તારોમાં પ્રજાજનોની લાગણીને ધ્યાનમાં રાખી રપ લાખના ખર્ચે અહીં નવો બગીચો બનાવવાનું નક્કી-મંજુર થતા રાજકોટ મહાનગર પાલિકા ગાર્ડન સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઇ આહીર, મહામંત્રી કાનાભાઇ સથવારા, વિપુલભાઇ શુકલ, દેવાયતભાઇ ડાંગર, હેમંતભાઇ બોરીચા, ભારતીબેન રાવલ, યુવરાજસિંહ ચુડાસમા, જયેશભાઇ વોરા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ચુડાસમા, આયદાનભાઇ બોરીચા, અમિતભાઇ ચૌધરી, હરિભાઇ રૂપારેલીયા, કૌશિકભાઇ સથવારા, શાંતિભાઇ સથવારા, રાજેશભાઇ સવનીયા, અશ્વિન પાનખણીયા, જીવાભાઇ સોલંકી, હસુભાઇ ચુડાસમા વિગેરે ઉપસ્થિત રહેલ હતાં.

(3:00 pm IST)