Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નંદિની પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી દીલીપભાઇનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ,તા. ૧૧: આહીર ચોક પાસે નંદિની પાર્ક સોસાયટીમાં આર્થિક ભીંસથી કંટાળી પટેલ આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ આહીર ચોક પાસે નંદીની પાર્ક સોસાયટી શેરી નં.૨માં રહેતા દીલીપભાઇ છગનભાઇ વાડોદરીયા (ઉવ.૫૦)એ ગઇ કાલે પોતાના ઘરે દરવાજાની ઉપર વેેન્ટીલેશનમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પુત્રને લટકતી હાલતમાં જોઇ માતાએ દેકારો બોલાવતા પાડોશીએ દોડી આવ્યા હતા અને કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી દક્ષાબેને તપાસ કરતા દીલીપભાઇનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ સુભાષભાઇ ડાંગર અને રાઇટર નિલેશભાઇ મકવાણાએ તપાસ હાથ ધરી હતી. મૃતક એક ભાઇ અને એક બહેનમાં મોટા હતા. તે માતા સાથે રહેતા હતા. ઘણા સમયથી કોઇ કામ ધંધો ન મળતા આર્થિક ભીંસના કારણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યુ છે.

(3:02 pm IST)