Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજકોટ મેયરના પી.એ. હિડોંચાના ખબર અંતર પુછતા વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ  શહેરમાં હવે કોરોના વકરવા લાગ્યો છે. હવે મ.ન.પા.ના અધિકારીઓ અને પદાધિકારી તથા કોર્પોરેટરો, કર્મચારીઓ પણ કોરોનાના સકંજામાં આવવા લાગ્યા છે.આજ પ્રકારે મેયર બીનાબેન આચાર્યના પી.એ. કનૈયાલાલ હીંડોચાનો રીર્પોટ ેે પોઝિટિવ આવતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગઇકાલ રાત્રે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના પત્નિ અંજલી બેનએ હિડોંચાભાઇ અને તેમના પરિવારનાં ખબર અંતર પુછી ઝડપથી સ્વસ્થતા પ્રદાન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

(11:50 am IST)