Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રણછોડનગરના ચાંદીકામ ઠપ્પ થઇ જતાં દિપકભાઇ તાળાનો ફાંસો ખાઇ આપઘાત

પટેલ પ્રોૈઢે પંખાના હુકમાં કમરપટ્ટો બાંધી જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ તા. ૧૪: સામા કાંઠે રણછોડનગર-૨૪માં રહેતાં દિપકભાઇ પરષોત્તમભાઇ તાળા (ઉ.વ.૫૪) નામના પટેલ પ્રોૈઢે ઘરના ગ્રાઉન્ડ ફલોરમાં પંખાના હુકમાં ચામડાનો પટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ હિતેષભાઇ જોગડાએ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિપકભાઇ  ત્રણ ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં બે પુત્ર છે. તેઓ ચાંદી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ લોકડાઉન આવ્યું ત્યારથી ધંધામાં સતત મંદી જ રહેતી હોઇ તેના કારણે ડિપ્રેશનમાં આવી જતાં આ પગલુ ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:35 pm IST)