Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રવિવારે ૧ર દીકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્ન

કરીયાવરમાં ૧૦૧ થી વધુ વસ્‍તુઓ અપાશેઃ ઓમ શ્રી રામ લલ્લા સેવા ટ્રસ્‍ટ, રાઇઝીંગ ઇન્‍ડીયા અને અરીહંત શરાફી સહકારી મંડળીનું આયોજન

રાજકોટ : ઓમ શ્રી રામ લલ્લા સેવા ટ્રસ્‍ટ, શ્રી અરીહંત શરાફી સહકારી મંડળી અને રાઇઝીંગ ઇન્‍ડીયા દ્વારા સર્વજ્ઞાતિ સમુહલગ્ન મહોત્‍સવનું તા. ર૧ રવિવારે કોઠારીયા મેઇન રોડ માનવ ધર્મવાળી શેરી માધવ હોલની સામેનું ગ્રાઉન્‍ડ હુડકો રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૨ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

સંસ્‍થાના પ્રમુખ કૌશીકભાઇ દેવમુરારી, હર્ષીલભાઇ શાહ, મહિલા મંડળ પ્રમુખશ્રી મીરાબેન જોષી, વિપુલભાઇ દેવમુરારી, કિશોરભાઇ રામાવત, પ્રભુદાસભાઇ મારૂ, રાજન દેવમુરારી, કાનાભાઇ કુબાવત, વિનયભાઇ, વિષ્‍નુસ્‍વામી, રવિરાજભાઇ રામાવત, કાંતીલાલ ચંદાવત તથા તેની ટીમ દ્વારા જણાવ્‍યા મુજબ ૧૦૧ થી વધારે કરીયાવરમાં વસ્‍તુઓ આપવામાં આવશે.

આ પ્રસંગે મહંતશ્રી અવધેશબાપુ, મહંતશ્રી અમૃતગીરી બાપુ, મહંતશ્રી પદુબાપુ, મહંતશ્રી જમનાદાસબાપુ, સદગુરૂ શ્રી ઓમ દાદા, ઘનશ્‍યામબાપુ નિરંજની, દાતાઓ રમેશભાઇ ધડુક, યોગેશભાઇ પુજારા, નરેશભાઇ બાંભવા, ગોપાલભાઇ અનડકટ, પિન્‍ટુભાઇ ખાટડી, એડવોકેટ પિયુષભાઇ શાહ ઉપસ્‍થિત રહેશે.

વધુ માહીતી માટે સંસ્‍થાના પ્રમુખ કૌશીકભાઇ દેવમુરારી મો.નં. ૯૯૨૫૮ ૧૧૭૧૧નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:44 pm IST)