Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રામનવમીની શોભાયાત્રાનું મુસ્‍લિમ આગેવાનો દ્વારા સ્‍વાગત

રાજકોટ :  વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા રામનવમી નિમીતે નિકળેલ બુધ્‍ધ શોભાયાત્રાને મુસ્‍લીમોએ ફૂલછાબ ચોકમાં અને ત્‍યારબાદ અકિલા પરિવારના મોભીશ્રી કિરીટકાકા ગણાત્રા પરિવાર સાથે જોડાઈને શોભાયાત્રાનું તથા સંતો-મહંતોનું આયોજકો શાંતુભાઈ રૂપારેલીયા, મનોજભાઈ ડોડીયા, હિરેનભાઈ ચંદારાણા, જયભાઈ પરમાર, મનીષભાઈ વડેરીયા, આશીષભાઈ શેઠ, અશોકભાઈ ડોડીયા, પરેશભાઈ રૂપારેલીયા, રવિન્‍દ્રભાઈ પારેખ સહિત ફૂલડે વધાવી ફૂલહાર કરીને કોમી એકતાનું અદભૂત ઉદાહરણ પુરૂ પાડેલ હતું. આ કાર્યમાં મુસ્‍લીમ અગ્રણી કુરેશ જમાતના પ્રમુખ શ્રી હબીબભાઈ ગનીબાપુ કટારીયા, શિક્ષણ સમીતીના પૂર્વ સદસ્‍યશ્રી ફારૂકભાઈ બાવાણી, સબ્‍બીરભાઈ કુવાડીયા, આબીદભાઈ શેખ, આમદભાઈ મારફાણી, ઈકબાલભાઈ મકરાણી, સબ્‍બીરભાઈ ઉમરેટીયા, સુભાનઅલી, હસામુદીનભાઈ, ફકરૂદીનભાઈ વ્‍હોરા, સંજય પાટડીયા, નરેશભાઈ દેવી પૂજક, હનીફભાઈ કટારીયા વગેરે હિન્‍દુ-મુસ્‍લીમ અગ્રણી જોડાઈને એકતાનો સૂર પુરાવેલ હતો. પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ઝોન-૨, ડો. સુધીર દેસાઈ એસઈપી રાધીકાબેન ભારાઈ, પ્ર.નગરના પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાર તથા પોલીસ સ્‍ટાફે વ્‍યવસ્‍થા ગોઠવી હતી. સૌનો મુસ્‍લીમ અગ્રણી કુરેશ જમાતના પ્રમુખ શ્રી હબીબભાઈ ગનીબાપુ કટારીયા, શિક્ષણ સમીતીના પૂર્વ સદસ્‍યશ્રી ફારૂકભાઈ બાવાણી એ આભાર વ્‍યકત કરેલ હતો

(2:57 pm IST)