Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કોંગ્રેસે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતને સૌરાષ્‍ટ્ર - કચ્‍છ ઝોનના પ્રવકતા બનાવ્‍યા

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અને રાજ્‍યસભા સાંસદ શક્‍તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્‍ય પ્રવક્‍તા ડો.મનીષ દોશી, સૌરાષ્‍ટ્રના મીડિયા ઇન્‍ચાર્જ ડો.નિદ્‌ત બારોટ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પહેલા વિભાગીય પ્રવકતાઓની યાદી જાહેર કરી છે જેમા રાજકોટના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતની સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઝોનના વિભાગીય પ્રવક્‍તાની જવાબદારી સોંપવામા આવી છે.ઉલ્લેખીય છે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ રાજપુતની આ જ પદ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણુંક કરવામાં આવી હતી બાદ હાલ આ લોકસભા ચૂંટણીને અનુસંધાને બીજી વખત તેઓને કોંગ્રેસ પાર્ટીએ આ પદે નિમણુંક કરી છે. રોહિતસિંહે કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ એન.એસ.યુ.આઈ. પણ મા મહત્‍વના હોદ્દાઓ પર જવાબદારીઓ નિભાવેલ છે. તેઓ વિવિધ સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત ચલાવી હતી.

(4:25 pm IST)