Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

લોહાણાપરા ચોકથી રૈયાનાકા ટાવરસુધી અયોધ્‍યાની ઝાંખી

રાજકોટઃ શ્રી જળમુખી મિત્ર મંડળ લોહાણાપરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોૈરાણીક શ્રી રઘુનાથજી મંદિર ખાતે મર્યાદા પુરુષોતમ શ્રી ભગવાન રામના જન્‍મના વધામણા તથા મહાઆરતી તથા મહાપ્રસાદનું (ફરાળ) નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે લોહાણાપરા ચોકથી રૈયાનાકા ટાવર સુધી કેશરીયો લેહરાવી અયોધ્‍યાની ઝાંખી કરાવી હતી. લોહાણાપરાના સર્વે વેપારી ભાઇઓનો સહયોગ મળેલ હતો. આ પ્રસંગે રઘુનાથજી મંદિરના મહંત રમેશભાઇ ડૈયા, રઘુવંશી અગ્રણી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રતાપભાઇ કોટક, ધારાશાષાી તુલસીદાસભાઇ ગોંડલીયા, શ્રી આદર્શ વ્‍યાયામ શાળાના પ્રમુખ મનુમામા કોટક, રઘુવંશી અગ્રણી પરેશભાઇ વિઠ્ઠલાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષિણી, બાલાભાઇ રાવ, નિતીનભાઇ સાતા, બિપીનભાઇ ચેવડાવાળા, જતીનભાઇ દક્ષિણી, વિજયભાઇ જીવરાજાની, જયકરભાઇ ભાયાણી, દિલીપભાઇ જોષી, જગદીશભાઇ રામાણી, કિશોરભાઇ ગોરવાડીયા, કોૈશિકભાઇ શિંશાગીયા, સુનીલભાઇ તન્ના, પરાગ દક્ષિણી, વિશાલરાવ, કિશોર સોમૈયા, સુરેશભાઇ પુજારા તથા મચ્‍છાભાઇ ભરવાડ એ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)