Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જન સ્‍વાભિમાન સંમેલનઃ કોંગ્રેસનો રણટંકાર

રાજકોટઃ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શકિત પ્રદર્શન સાથે ફોર્મ ભર્યુ હતું. આ તકે કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ શકિતસિંહજી ગોહીલ ખાસ ઉપસ્‍થિત રહયા હતા. કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ખાતે જંગી જન સ્‍વાભિમાન સંમેલન પણ યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતા. જન સ્‍વાભિમાન સંમેલન કોંગ્રેસ આગેવાનો દ્વારા બુલંદ અવાજમાં ભાજપની નિતી-રીતીને અટકાવવા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને પ્રચંડ જીત અપાવવા આહવાન કર્યુ હતું. જન સ્‍વાભિમાન સંમેલનને પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ શકિતસિંહજી ગોહીલ, પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, આમ આદમી પાર્ટીના ઇશુદાનભાઇ ગઢવી, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પુજાભાઇ વંશ, પ્રતાપભાઇ દુધાત, યુવરાજસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા, દિનેશભાઇ જોષી, મહેશ રાજપુત, ડો.હેમાંગ વસાવડા, ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, અશોકસિંહ વાઘેલા, લલીતભાઇ કગથરા, જાવેદ પીરઝાદા, ભુપતભાઇ, જસવંતસિંહ ભટ્ટી, હેમંતભાઇ, વિમલ ચુડાસમા, સુરૂભા જાડેજા, નિલેશ મારૂ, સહીતના આગેવાનોએ સંબોધન કરી કોંગ્રેસને રાજકોટ બેઠક જીતાડવા હાકલ કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)