-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
રાજકોટવાસીઓ ચેતજો : એન્ટીજન કીટની અછત
એક તરફ કોરોના વકરી રહ્યો છે બીજી તરફ કીટ નહી ફાળવવામાં આવતા વોર્ડ પ્રભારીઓ મુશ્કેલીમાં : ટેસ્ટીંગનું પ્રમાણ ઘટતા કોરોના સંક્રમણ વધવા લાગ્યુ
રાજકોટ તા. ૨૦ : શહેરમાં કોરોનાની બીજી લહેર ઝડપથી પ્રસરી રહી છે. છેલ્લા અઠવાડિયાથી રોજના ૮૦ - ૯૦ કેસ આવી રહ્યા છે ત્યારે મેયર બીનાબેન આચાર્યએ ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી છે પરંતુ એન્ટીજન કીટની અછત હોય વોર્ડ પ્રભારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે વિશ્વસનિય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમણ વધતા હવે શહેરમાં ટેસ્ટીંગ કેમ્પ, ટેસ્ટીંગ બુથ અને સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ કરાઇ છે પરંતુ 'ખાટલે મોટી ખોટ' એ ઉકિત મુજબ ટેસ્ટીંગ માટેની એન્ટીજન કીટની અછત ઉભી થઇ છે. અગાઉ રોજની ૬૦૦૦ કીટ અપાતી હતી પરંતુ હવે રોજની માત્ર ૩૦૦૦ એન્ટીજન કીટ અપાઇ રહી છે. આમ, કીટની અછત હોવાથી પૂરતા પ્રમાણમાં ટેસ્ટીંગ થઇ શકતુ નથી. પરિણામે વોર્ડના પ્રભારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ટેસ્ટીંગ નહી થતાં કોરોના સંક્રમણ વધવાની શકયતાઓ છે ત્યારે હવે લોકોએ સ્વૈચ્છીક રીતે જ સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક અને હેન્ડવોશ તથા સેનીટાઇઝેશન જેવી બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે.
મ.ન.પા.ના સ્ટાફની રજાઓ કેન્સલ
રાજકોટ : કોરોના સંક્રમણ વધતા મ.ન.પા.ના તંત્ર દ્વારા કોરોના કાબુમાં લેવા માટે ઝુંબેશાત્મક કામગીરી શરૂ કરાઇ છે. આ માટે તમામ સ્ટાફની રજા રદ્દ કરવામાં આવી છે. જ્યારે મ્યુ. કમિશનર હાલ રજા પર છે.