Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વોર્ડ નં.૪ના વેલનાથપરામાં મેટલીંગ કામ મંજુર

મેયર બિનાબેન આચાર્ય તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઇરૈયાણી, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયાની સફળ કાર્યવાહી

રાજકોટ, તા. રર : મહાનગરપાલિકા દ્વારા લોકવિકાસના જુદા જુદા કામો કરવામાં આવેલ છે તેના જ એક ભાગરૂપે મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઇ  રૈયાણી, વોર્ડ નં.૪ના કોર્પોરેટર  તથા ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશભાઇ પીપળીયાના પ્રયાસોથી વોર્ડ નં.૪માં મોરબી રોડ પર આવેલ વેલનાથપરા વિસ્તારમાં મેટલીંગ કામને કમિશનરશ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.

આ કામગીરીથી વેલનાથપરાની આશરે ર૦ શેરીઓમાં મેટલીંગ કામ કરવામાં આવશે. આ કામગીરીમાં આશરે રૂ.૯પ લાખનો ખર્ચ થશે. તેમજ વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ કામગીરી મંજુર થતા વેલનાથપરા વિસ્તારના વિસ્તારવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી ગયેલ છે.

(3:14 pm IST)