Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ચિંતા અને ડિપ્રેશન પર યોગ દ્વારા નિરાકરણ શિબિર

રાજકોટ તા. ર૪: લાઇફ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, પ્રોજેકટો લાઇફ' દ્વારા ચિંતા અને ડિપ્રેશન પર યોગ દ્વારા નિરાકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે તારીખ ર૭ એપ્રિલ ર૦ર૪ શનિવારના રોજ સવારે ૭-૦૦ થી ૮-૩૦ અને સાંજે પ-૦૦ થી ૬-૩૦ના રોજ થનાર છે.

જે લોકોને ભય, માનસિક તનાવ, ઉદાસીનતા, અનિદ્રા, થાક, શારીરિક શ્રમનો અભાવ, નકારાત્‍મક વિચાર, વજન અને ભૂખમાં ઘટાડો થવો, જીવન પ્રત્‍યે નિરાશાવાદી દ્રષ્‍ટિકોણ અને માનસિક કમજોરી જેવી અનેક તકલીફોમાં યોગના અભ્‍યાસ દ્વારા રાહત મેળવી શકાય છે. માટે આ માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે.

આ અંગે વધુ વિગત તમે મેળવવા માટે પ્રોજેકટ લાઇફ' બિલ્‍ડીંગ, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે મુલાકાત લેવી અથવા મો. નંબર ૮પ૧૧૩ ૩૧૧૩૩ અને લેન્‍ડ લાઇન નંબર ૦ર૮૧-ર૪૭૯૧૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:25 pm IST)