Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોરબી રોડ ચંદ્રપાર્કના નિમિષાબેન સંખાવરાનો ઝેરી દવા પી આપઘાત

માનસિક બિમારીને લીધે પગલુ ભર્યુઃ બે સંતાન મા વિહોણા થયા

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર ચંદ્રપાર્ક-૩ ડી. કે. સ્‍કૂલવાળી શેરીમાં રહેતાં નિમિષાબેન જગદીશભાઇ સંખારવા (ઉ.વ.૩૦) નામના પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

નિમિષાબેન ગત સાંજે છએક વાગ્‍યે ઝેરી દવા પી જતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને થતાં હેડકોન્‍સ. હિતેષભાઇ એમ. કોઠીવાળે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નિમિષાબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતી કરવા સાથે હીરા ઘસવાનું કામ પણ કરે છે. ગઇકાલે તે જમીન જોવા જવા તરઘડીયા તરફ ગયા ત્‍યારે દિકરીએ ફોન કરી મમ્‍મી દવા પી ગયાનું કહેતાં તે તત્‍કાળ ઘરે પહોંચ્‍યા હતાં અને પત્‍નિને સારવાર માટે ખસેડયા હતાં. પણ જીવ બચ્‍યો નહોતો. માનસિક બિમારીને કારણે પગલુ ભર્યાનું ખુલ્‍યું હતું. મૃતકના માવતર ઢોલરા ગામે રહે છે

(11:45 am IST)