Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

માનસીક બિમારીથી કંટાળી ઢેબર કોલોનીના સંજયભાઇને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

ગોંડલ રોડ પી.ડી. માલવીયા ફાટક પાસે બનાવઃ પ્રૌઢના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૨૫: ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ નજીક રેલવે ફાટક પાસે પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ નજીક રેલવે ફાટક પાસે આશરે ૫૦ વર્ષના અજાણ્‍યા પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હોવાની જાણ થતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી રવિભાઇ પરમારે ટીમે તપાસ કરતા પ્રૌઢનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. અરૂણભાઇ ચાવડા સહિતે સ્‍થળ પર પહોંચી અજાણ્‍યા પ્રૌઢની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્‍યાન આ પ્રૌઢ ઢેબર કોલોની કવાર્ટરમાં રહેતા સંજયભાઇ ચુનીભાઇ પરમાર (ઉ.વ.૫૦) હોવાનું જાણવા મળતા પોલીસે જાણ કરતા તેના પરિવારજનો સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. મૃતક સંજયભાઇ ત્રણભાઇમાં વચેટ હતા. તેણે માનસીક બીમારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્‍યુ છે.

(4:43 pm IST)