Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ધોરાજી ભાજપ દ્વારા સ્ટેટ હાઇવે તાત્કાલીક રીપેર કરવાની માંગણી

ધોરાજી તા.૭ : શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિગેરે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ને લેખિતમાં રજુઆત કરતા જણાવેલ કે ધોરાજી માંથી પસાર થતો સ્ટેટ હાઇવે કેજે જામનગર થી જુનાગઢ વેરાવળ સોમનાથ તરફ જતો રસ્તો તેમજ ધોરાજી જમનાવડ પાટણવાવ મોટીમારડ તરફ જતો રસ્તો અને ધોરાજી થી જુનાગઢ સોમનાથ તરફ જતો રસ્તો અને ધોરાજી થી જુના ઉપલેટા રોડ તરફ જતો રસ્તો જે ભારે વરસાદ ને કારણે ખરાબ થઈ ગયેલો હોય અને આ વિસ્તારના લોકોને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે.

 જેથી તાત્કાલિક ધોરણે ધોરાજીમાં આવેલા સ્ટેટ હાઇવેના માર્ગો મરામત કરવામાં આવે તેમજ બંને સાહેબની દુકાન મા પણ વરસાદી પાણી ભરાઈ જાય છે રસ્તા ઊંચા હોવાને કારણે જેના કારણે દુકાનદારોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે નવેસરથી સ્ટેટ હાઇવે ઉપર રસ્તા નીચા કરી સીસી રોડ બનાવવામાં આવે તેવી માગણી કરી હતી.

(11:27 am IST)