Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હજયાત્રા માટે ઇન્કમટેકસ રિટર્ન ફરજીયાત ભરવાની જોગવાઇ રદ કરવા માંગણી

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોર્ચાના ઉપપ્રમુખની રજૂઆત

જસદણ તા. ,તા.૭: હજયાત્રા યે જતા મુસ્લિમોએ ઈનકમટેકસ રિટર્ન ફરજીયાત ભરવાની કેન્દ્ર સરકારની જોગવાઈ રદ કરવા રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોર્ચાના ઉપપ્રમુખ અલ્લાઉદીન ફોગે રજુઆત કરેલ છે

આ અંગે જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા ફાયનાન્સ એકટ ૨૦૧૯ ના નવા સુધારા પ્રમાણે મુસ્લિમો હજયાત્રા માટે સાઉદી અરેબિયા જતા મુસ્લિમ હજયાત્રાળુ ઓને ફરજીયાત ઈનકમટેકસ રિટર્ન ભરવું પડશે.

તેમજ રૂ.૧૦.૦૦૦ ના દંડ ની જોગવાઈ પણ આ સુધારામાં કરેલ છે.

ત્યારે આ નવા સુધારાને રદ કરી ફરી થી જૂની જોગવાઈ પ્રમાણે લાગુ કરે માંગણી કરી છે.

(11:42 am IST)