Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કેશોદમાં સદ્ગતના પરિવારજનોએ અપનાવ્યો નવતર અભિગમ

ઉત્તરક્રિયા પ્રસંગે સ્નેહીજનો ને નાસ લેવાનું મશીન આપી કોરોના મુકત બનવા જાગૃત બનાવ્યાં

કેશોદ, તા. ૭ :સદગતની ઉત્ત્।રક્રિયા પ્રસંગે પરિવારજનો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ મનસુખભાઈ (કારાભાઈ) લાધાભાઈ વણપરીયા ની ઉત્ત્।રક્રિયા પ્રસંગે અને સ્વર્ગસ્થ જયભાઈ બીપીનભાઈ ગજેરા ની પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિત્ત્।ે ઉપસ્થિત સગાં સંબંધીઓને કોરોના મહામારી માં તંદુરસ્તી જાળવવા માટે નાસ લેવાનાં ઈલેકટ્રીક મશીન આપવામાં આવ્યાં હતાં. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ નાં મેહુલભાઈ ગોંડલીયા પરિવાર અને યોગેશભાઈ મનસુખભાઈ વણપરીયા ની સાથે જલારામ મંદિર પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતાં. સ્વર્ગસ્થ મનસુખભાઈ (કારાભાઈ) વણપરીયા ની ઉત્ત્।રક્રિયા પ્રસંગે અને સ્વર્ગસ્થ જયભાઈ બીપીનભાઈ ગજેરાની પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિત્ત્।ે અપનાવેલા નવતર અભિગમ થી સગાં સંબંધી અને સ્નેહીજનોને પણ કોરોના મુકત બનવા નિયમિત પણે નાસ લઈને તંદુરસ્તી જાળવવા અપીલ કરી હતી. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના મેહુલભાઈ ગોંડલીયા અને જલારામ મંદિર પરિવાર દ્વારા અન્ય કોઈ વ્યકિતઓને પોતાના પ્રસંગોમાં નાસ લેવાનું ઈલેકટ્રીક મશીન, માસ્ક કે સેનેટાઈઝર વિતરણ કરવાની ઈચ્છા હોય તો સંપર્ક કરવા જણાવ્યું છે. જુનાગઢ જીલ્લાના કેશોદ શહેર તાલુકામાં કોરોના મહામારી એ માઝા મૂકી છે ત્યારે કોરોના મહામારીથી બચવા માટે નાં ઉપકરણો નું વિતરણ કરવામાં આવ્યું છે જેથી ખરાં અર્થમાં ઉત્ત્।રક્રિયા અને શ્રધ્ધાંજલી સાર્થક થઈ હોવાનું માની શકાય.

(11:44 am IST)