Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બહારથી આવેલા સાધુએ કેશોદ આશ્રમના સાધ્વીને મારમારી ધમકી આપી

 (કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા.૭ : તાલુકાના ફાગળી રોડ પર આવેલા ઉદાસીન નારાયણદાસ બાપુ તોરણીયા ધામમાં થોડા દિવસ પહેલા દિલ્હીથી આવેલા એક સાધુએ જગ્યામાં રહેતા સાધ્વીને મારમારી ચાલ્યા જવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મા નોધાઇ છે મળેલ વિગતો મુજબ ફાગળી રોડ પર ઉદાસીન નારાયણદાસ બાપુ તોરણીયા ધામમાં સાધ્વી અરૂણા મુનિ ગુરૂ નારણદાસ બાપુ ઉ.૭૦ છેલ્લા ૩૦ વર્ષ થી રહે છે અને પૂજા પાઠ કરે છે જગ્યાના ગુરૂ મહંત નારણદાસ બાપુનું વર્ષ ૨૦૦૬મા મુત્યુ થાય બાદ તેઓને જગ્યાનો વારસો મળ્યો હોય તેઓ જગ્યાની દેખ ભાળ રાખે છે છેલ્લા એક વર્ષથી સાધ્વી અરૂણા મુનિ નો ચેલો રામક્રિપામુનિ પણ જગ્યામાં રહે છે છએક માસ પહેલા દિલ્હીથી શંકરદાસ નામના સાધુ જગ્યામાં થોડા દિવસ રહેવા આવ્યા હતા અને જગ્યા પર કબજો કરવા માટે તા.૨૨ સપ્ટે.૨૦૨૦ના રોજ તેણે સાધ્વીને આશ્રમ મારો છે તુ આ જગ્યા છોડી જતી રહે કહી ઢિકા પાટુનો માર મારી ધમકી આપી હતી આથી સાધ્વી અરૂણા મુનિએ

તેની સામે કેશોદ પોલીસ મા ફરિયાદ નોંધાવી છે બનાવની તપાસ પી. એસ. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:46 am IST)