Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પોરબંદરમાં સારવાર લેતા કોરોનાના એક દર્દીનું મૃત્યુ : નવા ૩ પોઝીટીવ કેસ

કોરોનાના ૧૫ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૭: જિલ્લામાં સારવારમાં રહેલ કોરોનાના એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. ગઇ કાલે કોરોના પોઝીટીવના નવા ૩ પોઝીટીવ કેસ આવ્યા હતા.

કોરોનાના નવા ૩ પોઝીટીવ કેસ જિલ્લાના વિસાવાડા, રાણાવાવ તથા પોરબંદર શહેરમાંથી આવ્યા હતા. સારવારમાં રહેલ કોરોનાના એક દર્દીનું મોત નીપજ્યું હતું. કોરોનાની સારવામાં ૧૫ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

(12:40 pm IST)