Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ખંભાળીયાઃ પુષ્કણા હર્ષ પરિવારમાં કરૂણતાઃ વધુ એક સભ્યનું કોરોનાથી અવસાન

થોડા સમયમાં પરિવારના ૧ર સભ્યોના અવસાન થતા ભારે શોક

ખંભાળીયા તા. ૭ :.. મુળ ખંભાળીયા નિવાસી હાલ હુબલી કર્ણાટક રહેતા રામભાઇ વલ્લભદાસ હર્ષ પુષ્કણાં બ્રાહ્મણ (ઉ.૬પ) તે રવિભાઇ (સિલ્વર લેન્સ સ્ટુયોવાળા) ના પિતા, સ્વ. નરોતમભાઇ (નિવૃત શિક્ષક), સ્વ. નવલભાઇ (કુમાર ઢોંસાવાળા), ભરતભાઇ (કચ્છ) ભગવતભાઇ (અંજાર), સ્વ. પ્રભુદાસભાઇના નાનાભાઇ તથા રાજુભાઇ (મુંબઇ) સ્વ. પ્રદ્યુમનભાઇ (પદુભાઇ ગાંઠીયાવાળા) ના મોટાભાઇ તથા ફુલશંકર મણશંકર જોશી પરિવારના જમાઇ તા. પ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.

 

ટેલીફોનિક બેસણુ તા. ૮ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રવિભાઇ મો. ૦૮૮૯ર૧ ર૧૪૯પ, હિતેશભાઇ, બંટીભાઇ ૦૯૯ર૪ર ૮૩૩ર૯,  નિકુંજભાઇ ૯૦૩૩૩ ૩૮૧ર૮, પ્રફુલભાઇ ૮૩ર૦૯ ૯૭૦૩૪.

ઉલ્લેખનીય છે ખંભાળીયાના હર્ષ પુષ્કણાં પરિવાર પર આફત આવી હોય તેમ નવલભાઇ હર્ષ, પદુભાઇ હર્ષ, તેમના પત્ની, નરોતમભાઇ હર્ષ, જયેશભાઇ હર્ષ તથા તેમના કુટુંબીજનો કચ્છ-મુંબઇમાં થોડા સમયમાં બારેક જેટલી વ્યકિતઓના મોત નીપજતા પુષ્કણાં હર્ષ પરિવારમાં ભારે શોક છવાયો છે.

(3:09 pm IST)