Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માળીયામાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

મોરબી :  કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત આજે માળિયાના પીપળીયા ચાર રસ્તા ખાતે સમારોહ યોજાયો હતો જેમાં રાજયના મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, યાર્ડના ચેરમેન મગન વડાવીયા, ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જયરાજસિંહ જાડેજા, કિશોર ચીખલીયા અને જીજ્ઞેશ કૈલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યોજના અંતર્ગત માળિયા તાલુકાના ચાંચાવદરડા, ચીખલી, માણાબા, મોટા ભેલા, નાનાભેલા, રોહીશાળા, સરવડ, સુલતાનપુર, વાઘરવા સહિતના ગામોના ખેડૂતોને ફાયદો થશે. રાજય મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની યોજનામાં રાજકારણ ના કરવું જોઈએ અને સહકાર આપવો જોઈએ તેમ કહીને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું તો નવા કૃષિ કાયદા અંગે જણાવ્યું હતું કે કૃષિ બીલ સંસદમાંથી પસાર થયું છે અને ખેડૂતોની ચિંતા સરકાર કરી રહી હોવાનું જણાવ્યું હતું. કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો તે તસ્વીર.

(11:38 am IST)