Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અમરેલીમાં કોરોનાથી બે વ્યકિતના મોત

અમરેલી તા.૯ : ગુરૂવારે જિલ્લામાં કોરોનાના નવા ૩ર કેસ સાથે કુલ કેસની સંખ્યા રર૯ થઇ છે અને આા દરમિયાન અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા બે દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. જેમાં ગઢડા તાલુકાના ઘોઘા સમડી ગામના ૮૦ વર્ષના વૃધ્ધ તથા દામનગરના અવેડાચોકમાં રહેતા ૬ર વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યુ નીપજયા હતા. ગુરૂવારે જિલ્લામાં સારવાર લઇ રહેલા કોરોનાનાં ર૦ દર્દીઓ સાજા થઇ ઘેર ગયા હતા અને ર૩પ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહયા છે. જિલ્લામાં સતાવાર મૃત્યુઆંક ૩૩ છે.

(12:53 pm IST)