Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગોંડલમાં આજથી ૮ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

શહેર અને તાલુકામાં કોરોના કેસ વધતા વેપારીઓ દ્વારા નિર્ણયઃ સાંજના ૪ વાગ્યા પછી દુકાનો બંધ રહેશે

ગોંડલ, તા.૧૫: ગોંડલ કોરોના હોટસ્પોટ બન્યું છે અને પોઝીટીવ કેસ એક હજાર ને પાર કરી ચુકયો હોય મૃત્યુદર પણ ચોંકાવનારો હોય શહેરનાં વેપારી આગેવાનો, મહામંડળ, વિવિધ સામાજિક સંસ્થાઓ, નગરપાલિકાનાં પદાધિકારીઓ તથાં પ્રબુધ્ધજનો ની ટાઉનહોલ માં મળેલ મિટીંગ માં કોરોના સંક્રમણ ને ખાળવાં તા.૧૫ મંગળવારથી આઠ દિવસ સુધી સાંજ નાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવાયો છે.વેપાર ધંધા સવારે આઠથી સાંજનાં ચાર સુધી ખુલ્લાં રહેશે. સાંજ નાં ચાર વાગ્યા પછી સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવાં નિણઁય લેવાયો છે. લોકડાઉનમાં માર્કેટ યાડઁ તથાં નગરપાલિકા કચેરી પણ સંપુર્ણ બંધ રહેશે તેવું યાદીમાં જણાવાયું છે. દરરોજ કોરોના કેસની સંખ્યા વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે.

(11:48 am IST)