Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર કુલ પોઝીટીવ કેસ રરર૮ થયા

નવા ૩૯ કેસમાં જુનાગઢના ૧૮ દર્દી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧પ : જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કુલ પોઝીટીવ કેસ વધીને રરર૮ થઇ ગયા છે.

સોમવારે પણ જીલ્લામાં નવા ૩૯ કેસ નોંધાયા હતા. જોકે ૩૩ દર્દી સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવેલ.

જુનાગઢમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ ૧૮ નવા કોરોના દર્દીનો વધારો થઇ રહ્યો છે.

ગઇકાલે જુનાગઢ સીટીમાં ૧૮, માણાવદર, વિસાવદર તાલુકામાં ચાર-ચાર કેસ, જૂનાગઢ રૂરલ, ભેસાણ તથા માંગરોળ ખાતે એક-એક કેસ વધુ નોંધાયો છે.  જિલ્લામાં હાલ ૧૯૪૭ ઘરો કન્ટેેન્ટમેન્ટ હેઠળ કુલ કન્ટેન્ટમેન્ટ ઝોન રર૮ છે અને તેની વસ્તી ૭ર૪૩ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(12:57 pm IST)