Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પોરબંદરમાં આવતીકાલે ‘‘રઘુવંશી એકતા'' સ્‍કુટર રેલીઃ રવિવારે મહાપ્રસાદી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯: આવતીકાલે શનિવારે તા.૨૦ મીએ સાંજે પ વાગ્‍યે જ્ઞાતિ એકતા મજબુત બનાવવા માટે લોહાણા જ્ઞાતિના ભાઇઓ-બહેનોની સ્‍કુટર રેલી રાધેશ્‍યામ મંદિર સ્‍ટેશન રોડ થી નીકળશે. આ અવસરે રવિવારે તા.૨૧ મીએ સાંજે ૭ વાગ્‍યે રઘુવંશીનગર ધોબી સમાજની વંડી ખાતે રઘુવંશી મહાપ્રસાદીનું આયોજન કરેલ છે.

છેલ્લા ૪ વર્ષથી લોહાણા જ્ઞાતિને સંગઠીત કરવા અને લોહાણા જ્ઞાતિની એકતા માટે ‘‘રામનવમી'' ની ઉજવણી કરવામાં આવે છે. અને રામનવમી ના દિવસે વિશ્‍વ હિન્‍દુ પરીષદ અને બજરંગદળ દ્વારા આયોજન થતુ હોવાના કારણે એક જ ઉત્‍સવ ની બે અલગ અલગ ઉજવણી ન થાય તેવા હેતુથી રઘુવંશી એકતા નામની સંસ્‍થાના પ્રમુખ હિતેશભાઇ કારીયા દ્વારા રામનવમી પછી આવતા પ્રથમ રવિવારે રામનવમીની ઉજવણી ના ભાગ સ્‍વરૂપે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને તે મુજબ તા.૨૦ ને શનિવારે સાંજે પ વાગ્‍યે સ્‍ટેશન રોડ ઉપર આવેલા રાધેશ્‍યામ મંદિરેથી જ્ઞાતિ એકતાના પ્રતિક સમાન ભાઇઓ-બહેનો બંને માટે ‘‘સ્‍કુટર રેલી'' નું આયોજન કરેલ.

તા.૨૧ મીએ રવિવારે સાંજે ૭ કલાકે રઘુવંશીનગર ધોબી સમાજની વંડી ખાતે ‘‘રઘુવંશી મહાપ્રસાદી''નું આયોજન કરેલ છે. જ્ઞાતિના સંગઠન માટે રઘુવંશી ના આરાધ્‍ય દેવશ્રી રામ ભગવાન ના જન્‍મદિવસની ઉજવણી નિમીતે રઘુવંશી પરીવાર માટેનું આયોજન છે.

રઘુવંશી એકતા પ્રમુખ હિતેશભાઇ કારીયા તથા લેડીઝ વીંગના ગીતાબેન તન્ના તથા આયોજન સમીતીના માર્ગદર્શક એડવોકેટ ભરતભાઇ લાખાણી, મનોજભાઇ ઠકરાર, ગોવિંદા ઠકરાર, પ઼કજ મજીઠીયા, અનિલભાઇ કારીયા, સાગર મનુભાઇ મોદી, પદુભાઇ રાયચુરા, ભરતભાઇ માખેચા, જીજ્ઞેશભાઇ કારીયા, દિલીપભાઇ ગાજરા, હસમુખભાઇ બુધ્‍ધદેવ, મોહનભાઇ લાખાણી, મુકેશભાઇ ઠક્કર તથા વિજયભાઇ ઉનડકટ આયોજનની સફળતા માટે જહેમત ઉઠાવી રહેલ છે. લોહાણા સમાજના તમામ પરીવારોને આ સ્‍કુટર રેલી તથા મહાપ્રસાદમાં પધારવા સોૈ જ્ઞાતિ આગેવાનો દ્વારા નિમંત્રણ એક યાદિમાં પાઠવેલ છે.(

(11:13 am IST)