Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પોરબંદરમાં રામનવમીની શોભાયાત્રામાં ખારવા આગેવાનો જોડાયા

પોરબંદર વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ  શ્રીરામ પ્રભુજી ની શોભાયાત્રા મઠ - ખારવા વાડ, થી શોભાયાત્રા નીકળી શિતલા ચોક હરીશ ટોકીઝ રામટેકરી થઈ ઐમ જી રોડ રાણી બાગ માણેકચોક થઈ કસ્‍તુરબા ગાંધી રોડ દરીયા કિનારે થી પાલા ના ચોક શહીદ ચોક થઈ ફરી જાનકી મઠ શ્રી રામ પ્રભુજી ના મંદિર પહોંચ્‍યા હતા રસ્‍તામાં લોકો એ અતિ ઉત્‍સાહ થી શ્રી રામપ્રભુ જી ના દર્શન કરી ફુલ હાર પુષ્‍પો થી પુજા કરી હતી આ શોભાયાત્રામાં   સમસ્‍ત ખારવા જ્ઞાતિ ના પ્રમુખ શ્રી / વાણોટ શ્રી પવનભાઇ શિયાળ, ઉપ પ્રમુખ શ્રી અશ્વિનભાઇ જુંગી તથા પંચ પટેલ શ્રી ઓ,  પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ તથા સભ્‍યો પિલાણ એસોસિએશન ના સભ્‍યો તથા શ્રી સાગર શક્‍તિ સેવા ટ્રસ્‍ટ સભ્‍યો  પોરબંદર છાંયા સંયુક્‍ત નગરપાલિકા ના ઉપ પ્રમુખ શ્રી મનિષભાઇ શિયાળ જોડાયા હતા તે તસ્‍વીર.

(11:28 am IST)