Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જામજોધપુરના ધુનડામાં સાધુ સંતોની ઉપસ્થિતીમાં ધર્મોત્સવની ઉજવણી નો પ્રારંભ

જુનાગઢઃ જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે પુ.જેન્તિરામબાપા ના સાનિધ્યમાં બુધવારથી શાસ્ત્રી નરેશભાઇ રાજ્યગુરૃના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. સુદાણી પરિવાર આયોજીત આ કથામાં તોરણીયા ના પુ.રાજેન્દ્રદાસ બાપુ તેમજ જુનાગઢથી મહાદેવગીરીબાપુ, તેમજ પુ.વિક્રમગીરીબાપુ(ઘેલા સોમનાથ મહંતશ્રી) કનૈયાગીરીબાપુ સતાધાર થી પુ.ગોવિંદબાપુ, જેતપુરથી વિવેકસાગરસ્વામી તેમજ ડારીથી પુ.ભુવા આતાશ્રી રામાઆતા તેમજ પ્રમોદભાઇ સુદાણી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અને શાસ્ત્રીજી એ કપિલ જન્મની કથા શ્રવણ કરાવી હતી અને આજે નૃસિંહ પ્રગાટય ઉજવાશે અને રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સવદાસભાઇ ગાગલીયા તેમજ મહેશદાન ગઢવી સંતવાણીના સુર રેલાવશે. કથા દરમ્યાન પુ.જેન્તિરામબાપાએ આશિવર્ચન આપ્યા હતા.(અહેવાલ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:49 am IST)