Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

તળાજા નજીક કેનાલમાં ડૂબી જતા કિશોરનું મુત્‍યુ

ભાવનગર, તા.૨૫: તળાજાના સરતાનપર ગામનો જયદીપ ભરતભાઇ મેર ઉ.વ.૧૬ કુંઢેલી ધાટરવાળા રોડ પર આવેલ કેનાલમા ન્‍હાવા ગયેલ. તેમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા તળાજા રેફરલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ. આ બનાવથી ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

બીજા એક અકસ્‍માતના બનાવમાં સરતાનપર ખાતે રહેતા ડાભી ભારતીબેન ઓધાભાઈ (ઉ.વ.૨૭) બાઈક પરથી પડી જતા હેડ ઈંજરી થવાના કારણે વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્‍યા હતા.

(10:20 am IST)