Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

કાલાવડ (શિતલા)માં પાનસુરિયા પરિવાર દ્વારા ભાગવત કથા : કનૈયાલાલ ભટ્ટની મંગલ વાણી

રાજકોટ તા. ૨૫ : મણિબેન કુરજીભાઇ પાનસુરિયા અને સમસ્‍ત પાનસુરિયા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે આજે તા. ૨૫ એપ્રિલ ગુરૂવારથી તા. ૧ મે બુધવાર સુધી વૃંદાવન ગૌશાળા પાસેનું મેદાન, કુંભનાથપરા, શિવહરિ સ્‍કુલ પાસે, પીપરિયા રોડ, કાલાવડ શિતલા ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

કથાના વ્‍યાસાસને રાજકોટવાળા રસસિધ્‍ધ કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે. પ્રારંભે પોથીયાત્રા આજે બપોરે ૩ વાગ્‍યે રાખેલ છે. કથામાં તા. ૨૮ રવિવારે બપોરે ૩ વાગ્‍યે રામજન્‍મ અને સાંજે ૫ વાગ્‍યે કૃષ્‍ણ જન્‍મ પ્રસંગ ઉજવાશે. રૂક્ષ્મણી વિવાહ મંગળવારે સાંજે ૫ વાગ્‍યે થશે. તા. ૧ બુધવારે સાંજે ૪ વાગ્‍યે કથા વિરામ થશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

કથા દરમિયાન રાત્રીના સંતવાણી - ભજનોના કાર્યક્રમો થશે તેમજ સંતો-મહંતોના દર્શન - આર્શીવચનનો લાભ મળશે અને કથાના ઉત્‍સવ પ્રસંગોની અનુપમ ઝાંખી કરાવવામાં આવશે. સમગ્ર કથા યુટયુબ ચેનલ Kathakar Kanaiyalal Bhatt પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા પાનસુરિયા પરિવારે નિમંત્રણ પાઠવેલ છે.

(11:34 am IST)