Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

માળીયા મિંયાણાના નવા અંજીયાસરમાં પતિ-સાસુના ત્રાસથી પરણિતાનો આપઘાત

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૫ : માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામમાં પરણીને સાસરે ગયેલ પરિણીતાને પતિ અને સાસુએ ત્રાસ આપ્‍યો હોય જેમાં પતિ નશો કરી ઝઘડા કરતો તેમજ સાસુ ઘરકામ બાબતે મેણા ટોણા મારી હેરાન કરતા હોય જેથી પરિણીતાએ કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય જે બનાવ મામલે પતિ અને સાસુ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 માળિયાના જખરીયા પીરના રહેવાસી આયશાબેન અવેશભાઈ કટિયાએ આરોપી આશીફ ઉમર મુલ્લા અને જરીનાબેન ઉમર મુલ્લા રહે બંને હંજીયાસર તા. માળિયા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્‍યું છે કે ફરિયાદીની દીકરી પરવીનના લગ્ન ગત તા. ૨૦-૦૩-૨૩ ના રોજ આશીફ મુલ્લા સાથે થયા હતા અને લગ્ન બાદ દીકરી ઘરે આંટો દેવા આવતી ત્‍યારે તેનો પતિ આશીફ અને સાસુ જરીના બંને ઘરકામ બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા તેમજ પતિ નશો કરી અવારનવાર મારકૂટ કરતો હોય અને સાસુ તેના પતિને ચડામણી કરતા હોવાનું જણાવ્‍યું હતું.

 જેને ગળાના ભાગે જોતા ગળેફાંસો ખાઈ લીધાનું નિશાન હતું અને દીકરી મળત્‍યુ પામી હતી આમ દીકરી પરવીનને તેનો પતિ આશીફ અને સાસુ જરીનાબેન અવારનવાર હેરાન પરેશાન કરી તેમજ પતિ નશો કરી ઝઘડા કરી ત્રાસ આપતો હોય જેથી ફરિયાદીની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો માળિયા પોલીસે પતિ અને સાસુ વિરૂધ્‍ધ મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:58 pm IST)